-
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ એ એક જટિલ અને બહુપરીમાણીય ઐતિહાસિક ઘટના હતી, જેમાં અસંખ્ય વિચારધારાઓ, પદ્ધતિઓ અને નેતૃત્વ શૈલીઓનો સમાવેશ થાય છે. આ પ્રકરણમાં બે મહત્વપૂર્ણ નેતાઓસરદાર પટેલ અને સુભાષચંદ્ર બોઝના યોગદાનને ધ્યાનમાં રાખવામાં આવશે, જેમાં તેમની ભિન્ન પદ્ધતિઓ અને વિચારધારાઓ દ્વારા સ્વાતંત્ર્ય લડતને નવું પરિમાણ આપ્યું.સરદાર પટેલ, જેમને “લોખંડી પુરુષ” તરીકે ઓળખવામાં આવે છે, તેમણે ભારતના એકીકરણમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. તેમનું નેતૃત્વ ગાંધીજીના અહિંસક આંદોલનો સાથે ગાઢ રીતે જોડાયેલું હતું, પરંતુ તેમણે રાજકીય સમજૂતી, સાંપ્રદાયિક એકતા અને સ્વતંત્રતા પછીના રાજ્યોના એકીકરણમાં અદ્વિતીય કુશળતા પ્રદર્શિત કરી. ૧૯૩૦ થી ૧૯૪૨ સુધી, તેમણે ગાંધીજીના વિશ્વાસપાત્ર સેનાપતિ તરીકે કામ કર્યું, જ્યારે ૧૯૪૨ થી ૧૯૪૬ સુધી તેમણે સાંપ્રદાયિક સદ્ભાવના માટે પ્રયત્નો કર્યા.
₹300.00
-
ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને નેતાજી સુભાષચંદ્ર બોઝનાં નેતૃત્વની તુલના એક નિર્ણાયક અધ્યયન વિષય રહ્યો છે.આ પ્રકરણ”સરદાર પટેલ અને સુભાષચંદ્ર બોઝ: પૂર્વજીવન, શિક્ષણ અને રાજકારણમાં પ્રવેશ” — બે અસાધારણ વ્યક્તિત્વોના નેતૃત્વના મૂળ, તેમના શૈક્ષણિક અને સામાજિક પરિબળોઅને રાષ્ટ્રીય ભૂમિકાને પ્રાપ્ત કરવાની પ્રક્રિયાની શોધ કરે છે.
₹350.00
-
ભૂગોળમાં જેમ ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનો પ્રવાહ, વેગ અને પ્રકૃતિ અલગ-અલગ છે, પરંતુ તેમનો સંગમ અલ્હાબાદમાં ‘ત્રિવેણી સંગમ’ તરીકે ઓળખાય છે, બરાબર તેમ જ ભારતના ઇતિહાસમાં આ ત્રણેય મહાનાયકોની કાર્યપદ્ધતિ, વિચારસરણી અને વ્યુહરચના ભલે ભિન્ન રહી, પરંતુ તેમનો અંતિમ સંગમ ‘ભારતની પૂર્ણ આઝાદી’ના પવિત્ર લક્ષ્યમાં જ થયો હતો. આ પ્રકરણ આ ત્રણેય મહાપુરુષોના વૈચારિક સમન્વય અને તેમની વચ્ચેના અદ્રશ્ય સદ્ભાવના સેતુને સમજવાનો પાયો છે.
₹300.00
-
કચ્છ જિલ્લાના ભચાઉ અને રાપર તાલુકો જે વિસ્તાર ‘વાગડ’ પંથક તરીકે જાણીતો છે તેનું કંઠસ્થ સાહિત્યને લક્ષમાં રાખ્યું છે.આથી આ કંઠસ્થ સાહિત્યમાં દરેક જ્ઞાતિના લોકોનું સહિયારું સર્જન પસંદ કર્ય્રું છે.આ પંથકમાં વણખેડાયેલ કંઠસ્થ સાહિત્યને અહીં ઉજાગર કરવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે. આખો ઉપક્રમ અહીં સભાનતાપૂર્વક સમાવેશ કરેલ છે માટે વાગડ પંથકના સર્વબંઘુઆે તેમજ અન્ય અભ્યાસીઆે માટે પણ ખૂબ જ ઉપયોગી બનશે.
₹150.00