-
પશુપાલન ની નવી ક્ષિતિજો (Paperback)
0₹300.00આપણે જોઈએ તો દેશમાં પશુપાલનનો ઉદભવ અને વિકાસ આદિમાનવની સાથે થયો છે. તે સાચું જ છે. આદિમાનવ જ્યારે જંગલી અને ભટકતું જીવન જીવતો હતો તે સમયે પણ તેને કરેલી શોધખોળના કારણે તે આદિમાનવમાંથી આજનો આધુનિક માનવ બની શક્યો. તે જીવનકાળ દરમિયાન ઘોડા, કૂતરા તથા અન્ય બીજા પ્રાણીઓનો તેનો પોતાના જીવનમાં ખેતી તેમજ અન્ય કામો માટે કર્યો. તેને કેટલાંક દૂધ આપતા પશુઓને પાળવા લાગ્યો. અને તેના દૂધનો ખોરાકમાં ઉપયોગ કરવા લાગ્યો. આ પશુઓમાં ગાય, ભેંસ, બકરી, ઘેંટી વગેરેનો દૂધ ઉત્પાદન તરીકે ઉપયોગ કરતા હતા.
ભારતએ ખેતી પ્રધાન દેશ છે. ભારતની મોટા ભાગની વસ્તી ગામડાઓમાં રહે છે. તેથી તેમનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ખેતીના વ્યવસાયની સાથે સાથે તેઓએ પશુપાલનનો ધંધો કરી રહ્યા છે. આ વ્યવસાય ખેતીનો પૂરક ધંધો બની ગયો છે. ખેતીમાંથી મળતી આડ પેદાશ, ઘાસચારો, વગેરેનો ઉપયોગ પશુઓના ખોરાક તરીકે કરવામાં આવે છે. અને દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકાયો છે.
-
વાગડપંથકની કંઠસ્થ સાહિત્યિક પરંપરા (Paperback)
0₹150.00કચ્છ જિલ્લાના ભચાઉ અને રાપર તાલુકો જે વિસ્તાર ‘વાગડ’ પંથક તરીકે જાણીતો છે તેનું કંઠસ્થ સાહિત્યને લક્ષમાં રાખ્યું છે.આથી આ કંઠસ્થ સાહિત્યમાં દરેક જ્ઞાતિના લોકોનું સહિયારું સર્જન પસંદ કર્ય્રું છે.આ પંથકમાં વણખેડાયેલ કંઠસ્થ સાહિત્યને અહીં ઉજાગર કરવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે. આખો ઉપક્રમ અહીં સભાનતાપૂર્વક સમાવેશ કરેલ છે માટે વાગડ પંથકના સર્વબંઘુઆે તેમજ અન્ય અભ્યાસીઆે માટે પણ ખૂબ જ ઉપયોગી બનશે.